મહારાષ્ટ્રમાં મતદાન પહેલા સરકારનો મોટો નિર્ણય: ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવ્યો
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan04052024_063724_Onion (2).webp)
- 04 May, 2024
ભારત સરકારે એક મોટો નિર્ણય કરતા ડુંગળીની નિકાસ પર લાદવામાં આવેલા પ્રતિબંધને હટાવી લીધો છે. સરકારના આ નિર્ણયના પગલે મહારાષ્ટ્રના વેપારીઓને મોટી રાહત મળી છે. ઉલ્લેખનીય છે કે સરકારે આ નિર્ણય આગામી ત્રીજા તબક્કામાં મહારાષ્ટ્રમાં ચૂંટણી યોજાવવાની છે, તે પહેલા લીધો છે.
ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડે(ડીજીએપટી) તેના એક નોટિફિકેશનમાં ડુંગળીની મિનિમમ એક્સપોર્ટ પ્રાઈસ (ડુંગળીની લધુતમ કિંમત) પ્રતિ ટન 550 ડોલર નક્કી કરી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ ભારત સરકારે બાંગ્લાદેશે, શ્રીલંકા અને યુએઈ સહિતના દેશોની સરકારોએ વિનંતી કર્યા પછી ડુંગળીની ભારતમાંથી થતી નિકાસને મર્યાદિત કરી હતી.
મહારાષ્ટ્રાના ડુંગળીનો વેપાર કરતા વેપારીઓ અને ખેડૂતો દ્વારા છેલ્લા ઘણા સમયથી ડુંગળીની સારી કિંમત મળે તે હેતુથી ડુંગળીની નિકાસ શરૂ કરવા માટેની માંગ કરવામાં આવી રહી હતી. જોકે સરકારે જો ડુંગળીની નિકાસ શરૂ થશે તો દેશમાં જ ડુંગળીના ભાવ વધશે તેવા ભયના પગલે તેની નિકાસને મર્યાદિત કરીને "પ્રોહિબિટેડ" કેટેગરીમાં મુકી દીધી હતી.
દેશી ચણાનું ઉત્પાદ ઘટશે તેવા સંકેતો મળતા સરકારે માર્ચ 2025 સુધી તેની પરની આયાત ડ્યુટીને હટાવી દીધી છે. આ સિવાય સરકારે પીળા વટાણા પરની આયાત ડ્યુટી, જે ઓક્ટોબર 31, 2024 સુધી અને પહેલા થયેલી આયાત પર લેવાનું નક્કી કર્યું હતું, તેની મુદતમાં પણ વધારો કર્યો છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ